અકાદમીના ત્રણ દાયકા: વિવિધ કાર્યક્રમો 3

Print

પ્રવાસી પારાવારના માન્ધાતા યૂથ એન્ડ કમ્યુનિટી ઍસોસિયેશન, ગુજરાતી સાહિત્ય અકાદમી તેમ જ “ ઑપિનિયન” સામયિકના સંયુક્ત ઉપક્રમે, મંગળવાર, ૧૪ જુલાઈ ૨૦૦૯ની સલૂણી સંધ્યાએ,
ઠીક ૬.૩૦ કલાકે, 20 A Rosemead Avenue, WEMBLEY, Middlesex HA9 7EE પર આવેલા માન્ધાતા સમાજના સભાખંડમાં, ગુજરાતના પ્રસિધ્ધ પત્રકાર લેખક અને વક્તા પ્રકાશ ન. શાહનું એક જાહેર વ્યાખ્યાન યોજાવાનું છે. આફ્રિકાની યાત્રા કરી, હાલ, પાછા ફરેલા “નિરીક્ષક”ના તંત્રી પ્રકાશભાઈ શાહ, ‘પ્રવાસી પારાવારના’ના ધ્વનિને, પ્રસંગોચિત, રજૂ કરશે.
આ અવસરે દરેકને પધારવા સહૃદય આમંત્રણ અપાયું છે.
ઉપેન્દ્રભાઈ ગોર, રમણભાઈ પટેલ તથા વલ્લભભાઈ નાંઢાનાં તાજાતર પ્રગટ પુસ્તકોનું (અનુક્રમે ‘આનંદ-છોળ’, ‘વતનનો ઝૂરાપો’, ‘શીમોન’ તથા ત્રિપુટીનું સંપાદન, ‘વાર્તાની છાજલી’) આ પ્રસંગે જાહેર લોકાર્પણ થશે.
પ્રસંગ ટાંકણે, દરેકને માટે, આ ત્રિપુટીના સદ્દભાવે, પ્રીતિ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે.
“ઑપિનિયન”ના દરેક ગ્રાહકને, ‘વાર્તાની છાજલી’ ભેટનકલ આપવાનો ય અહીં અવસરે મનસૂબો રહેવાનો છે.

Post new comment

The content of this field is kept private and will not be shown publicly.
  • Web page addresses and e-mail addresses turn into links automatically.
  • Lines and paragraphs break automatically.

More information about formatting options

CAPTCHA
This question is for testing whether you are a human visitor and to prevent automated spam submissions.
5 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.