Culture

બ્રિટિશ ગુજરાતી સાહિત્ય : અરધી સદીની યાત્રા

અદમ ટંકારવી

૧૯૫૦-૬૦ના ગાળામાં, દક્ષિણ ગુજરાતમાંથી પ્રથમ વસાહતીઓ બ્રિટન આવ્યા અને લૅન્કેશર, યૉર્કશરનાં 'મિલ નગરો' માં વસ્યા. ૧૯૬૦-૭૦માં યુગાન્ડા તથા અન્ય આફ્રિકન દેશોના ગુજરાતી મૂળના લોકો આવ્યા અને મોટે ભાગે લંડન, લેસ્ટરમાં સ્થાયી થયા. આ વસાહતીઓ પોતાની સાથે ગુજરાતી ભાષા - સાહિત્યનો વારસો લઈને આવેલા.

૧૯૬૫ના શિયાળામાં, હઝલકાર 'બેકાર' ગુજરાતથી બ્રિટનના પ્રવાસે આવેલા. તેમની ઉપસ્થિતિમાં, બોલ્ટનના સ્પિનર્સ હૉલમાં, મુશાયરો થયો, જેમાં અંજુમ વાલોડી, કદમ ટંકારવી, મહેક ટંકારવી તથા સૂફી મનુબરીએ કાવ્યપઠન કરેલું. બ્રિટનનો આ પ્રથમ ગુજરાતી મુશાયરો.

૧૯૬૭માં કદમ ટંકારવી તથા મહેક ટંકારવીએ લૅન્કેશરમાં 'ગુજરાતી સાહિત્ય મંડળ'ની સ્થાપના કરી. ૧૯૭૩માં શેખાદમ આબુવાલા જર્મનીથી બ્રિટનના પ્રવાસે આવેલા ત્યારે પ્રેસ્ટનમાં કદમ ટંકારવીના નિવાસે કવિમિલન યોજાયેલું. આ પ્રસંગે શેખાદમની પ્રેરણાથી, 'ગુજરાતી સાહિત્ય મંડળ'નું 'ગુજરાતી રાઇટર્સ' ગિલ્ડ, યુ.કે.'માં રૂપાંતર થયું, અને સંસ્થાની પ્રવૃત્તિઓનો વ્યાપ વધ્યો.

Categories:

બ્રિટનનો ગુજરાતી ડાયસ્પોરા

ક્ષમા કટારિયા

વિદેશમાં વસતા ગુજરાતીઓની હલચલ-પ્રવૃત્તિઓ-પ્રયાસોના ખબરઅંતર આપણા સુધી કોઈક ને કોઈક પ્રકારે પહોંચતા રહે છે. તેમાં પણ "ઓપિનિયન" અને ‘ગુજરાતી લેક્સિકોન ડૉટ કૉમ’ જેવા મહાપ્રયાસો તેમના બુલંદ યોગદાનથી ગુજરાતી ડાયસ્પોરાની હાજરી વર્તાવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી આ ગુજરાતી ડાયસ્પોરા પોતાની વાત લઈને આપણી પાસે આવી રહ્યો છે. એના જ ભાગરૂપે આ વર્ષે બ્રિટનસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’, "ઓપિનિયન" અને ‘ગુજરાતી લેક્સિકોન ડૉટ કૉમ’ના સંયુક્ત ઉપક્રમે, અમદાવાદમાં, તારીખ ૧૦ જાન્યુઆરીએ, ગૂજરાત વિદ્યાપીઠના નવા સભાગૃહમાં, ‘બ્રિટનમાં ગુજરાતી ડાયસ્પોરા : દિશા અને દશા’ વિષય પર અડધા દિવસનો પરિસંવાદ ગોઠવવામાં આવ્યો હતો. વળી, ડાયસ્પોરાની પ્રવૃત્તિને વાંચતી કરવાના હેતુ વિષયને અનુરૂપ એવાં બે પુસ્તકોના વિમોચનનો કાર્યક્રમ પણ સાથે વણી લેવામાં આવ્યો હતો.

આ પ્રસંગે બ્રિટનના ગુજરાતી ડાયસ્પોરાના પ્રતિનિધિઓ કહેવાય તેવા વિપુલ કલ્યાણી ("ઓપિનિયન" તથા ગુજરાતી સાહિત્ય અકાદમી), રતિલાલ ચંદરયા (ચંદરયા ફાઉન્ડેશન), ભદ્રા વડગામા (પ્રમુખ - ગુજરાતી સાહિત્ય અકાદમી), દાઉદભાઈ ઘાંચી તથા ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક સુદર્શન આયંગર, વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ કૃષ્ણકાન્ત વખારિયા, ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ મંગુભાઈ ર. પટેલ,સમાજસેવિકા ઈલાબહેન પાઠક, ઇતિહાસવિદ્દ દંપતી શીરીન મહેતા અને મકરન્દ મહેતા તથા રઘુવીર ચૌધરી મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યા હતાં. શ્રોતા તરીકે બ્રિટન અમેરિકાથી પચાસેક ડાયસ્પોરિકો તથા બીજા અનેક સ્થાનિક લોકો સાથે નારાયણભાઈ દેસાઈ પણ સહભાગી બન્યા હતા. કાર્યૐમના સંચાલનનો દોર વિપુલ કલ્યાણીએ સંભાળ્યો હતો.

Categories: