story

બ્રિટનમાં ગુજરાતી સમાજની દશા અને દિશા ગુજરાતી સાહિત્ય સર્જન, પ્રકાશન અને અનુવાદ

વિપુલ કલ્યાણી
2009-10-23

ગુજરાતી સાહિત્ય અકાદમીની, પોપટલાલ જરીવાળા નગર, ક્રૉયડન ખાતે બેઠેલી આઠમી ભાષા-સાહિત્ય પરિષદનાં અધ્યક્ષ નિરંજનાબહેન દેસાઈ, આ બેઠકના સભાપતિ અનિલભાઈ વ્યાસ, અકાદમીપ્રમુખ ભદ્રાબહેન વડગામા અને બધું મળીને આ ખંડમાં અબીહાલ જે ૪૭ જેટલાં સાવજ બેઠાં છે, તે સઉ. આવી વાત એટલા માટે હું શરૂઆતમાં કરું છું, કેમ કે, આપણી કને, ૪૭ જેટલાં લોકો,
અહીં, હાલ, હાજર છે. આપણાંમાંથી અનેકોને સાંભરતું હશે : જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં, અમદાવાદના ‘ગૂજરાત વિદ્યાપીઠ’ સંકુલમાં ને સાબરમતી નદીને કાંઠે, ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના મકાનમાં, વિલાયતની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના નેજા હેઠળ, બે દિવસનો પરિસંવાદ યોજાયા બાદની ઘટના છે. ‘સાહિત્યમાં વિવિધ સમાજોનું નિરૂપણ’ વિષય પર ૨૭ તથા ૨૮ જાન્યુઆરી ૨૦૦૯ના બંને દિવસોએ, ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના વડપણ હેઠળ, એક પરિસંવાદનું આયોજન થયું હતું. સમાજમાં જુદા જુદા જે જૂથો છે એમના વિચારો, વલણો, અભિવ્યક્તિઓ, એમનાં સાહિત્ય, ઇત્યાદિ વિષે વિચારણા કરવા આ પંડિતો ત્યારે ભેગા મળ્યાં હતાં. અધ્યક્ષસ્થાને, અલબત્ત, પરિષદપ્રમુખ નારાયણભાઈ દેસાઈ જ હતા. પરિષદના કાર્યવાહક મંત્રી મનસુખભાઈ સલ્લાએ, પહેલે દિવસે, બેઠકના આરંભમાં જ, મારી આંખ ઉઘાડનારો, પરંતુ ચોંકવનારો એક મુદ્દો ખુલાસારૂપે આપ્યો. પરિષદ પ્રમુખને ઉદ્દેશીને એ કહેતા હતા, નારાયણભાઈ, આ બેઠક અમે બરાબર ગોઠવી નહોતા શકતા કારણ કે હાજરીનો સવાલ છે અને તે હાજરી મેળવવાની ક્યાંથી, તો અમદાવાદની ગુજરાતી વિભાગની અથવા વિભાગ ચલાવતી જે તે કૉલેજો, એનાં અધ્યાપકો, એનાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ આવે, અહીં આવી શકે એવી જોગવાઈ કરવાની વાત મૂળમાં છે. માનશો ?  એ ખંડમાં બધું  મળીને ૫૭ લોકો હાજર હતાં ! એમાં અધ્યાપકો, શિક્ષકો, વક્તાઓને બાદ કરીએ તો મારા જેવા સાંભળનારની સંખ્યા, ભલા, કેટલી હશે ? ઉત્તર ખોળવાનું તમારા પર છોડું છું. અને અહીં જોઉં છું તો હું, બાવો ને મંગળદાસ જેવાં આ ૪૭ સાવજ બેઠાં છે; અને એ પણ લંડનની અંદર. એટલે આપણે આપણને લગીર ઉતારી ન જ પાડીએ.

Categories:

બ્રિટિશ ગુજરાતી સાહિત્ય : અરધી સદીની યાત્રા

અદમ ટંકારવી

૧૯૫૦-૬૦ના ગાળામાં, દક્ષિણ ગુજરાતમાંથી પ્રથમ વસાહતીઓ બ્રિટન આવ્યા અને લૅન્કેશર, યૉર્કશરનાં 'મિલ નગરો' માં વસ્યા. ૧૯૬૦-૭૦માં યુગાન્ડા તથા અન્ય આફ્રિકન દેશોના ગુજરાતી મૂળના લોકો આવ્યા અને મોટે ભાગે લંડન, લેસ્ટરમાં સ્થાયી થયા. આ વસાહતીઓ પોતાની સાથે ગુજરાતી ભાષા - સાહિત્યનો વારસો લઈને આવેલા.

૧૯૬૫ના શિયાળામાં, હઝલકાર 'બેકાર' ગુજરાતથી બ્રિટનના પ્રવાસે આવેલા. તેમની ઉપસ્થિતિમાં, બોલ્ટનના સ્પિનર્સ હૉલમાં, મુશાયરો થયો, જેમાં અંજુમ વાલોડી, કદમ ટંકારવી, મહેક ટંકારવી તથા સૂફી મનુબરીએ કાવ્યપઠન કરેલું. બ્રિટનનો આ પ્રથમ ગુજરાતી મુશાયરો.

૧૯૬૭માં કદમ ટંકારવી તથા મહેક ટંકારવીએ લૅન્કેશરમાં 'ગુજરાતી સાહિત્ય મંડળ'ની સ્થાપના કરી. ૧૯૭૩માં શેખાદમ આબુવાલા જર્મનીથી બ્રિટનના પ્રવાસે આવેલા ત્યારે પ્રેસ્ટનમાં કદમ ટંકારવીના નિવાસે કવિમિલન યોજાયેલું. આ પ્રસંગે શેખાદમની પ્રેરણાથી, 'ગુજરાતી સાહિત્ય મંડળ'નું 'ગુજરાતી રાઇટર્સ' ગિલ્ડ, યુ.કે.'માં રૂપાંતર થયું, અને સંસ્થાની પ્રવૃત્તિઓનો વ્યાપ વધ્યો.

Categories:

ઘરડ છોડો...

Umesh Solanki



<!--BREAK-->


Categories:

‘બ્રિટનમાં ગુજરાતીઓ’ : એક મૂલ્યાંકન

ઘનશ્યામ ન. પટેલ
2009-04-28

ગુજરાતી ડાયસ્પોરિક પ્રજાસમૂહ વચ્ચે ઘનશ્યામભાઈ ન. પટેલનું એક ઉત્તમ વિવચેક તરીકેનું માનસ્થાન છે. વરસ દહાડા દરમિયાન, બેચાર વખત, તંતોતંત પુસ્તક વાંચ્યા કેડે જ તેમણે આ લખાણ આપ્યું છે. તળ ગુજરાત અને અન્યત્ર આ પુસ્તક વિશે જોયેલા કેટલાક ભોળા ભાવના અને ઉપલકિયા વિવરણોની સામે પક્ષે, લેખકે અહીં કેટલીક તાર્કિક અને શાસ્ત્રીય ચર્ચા માંડી છે. ગુજરાતી ડાયસ્પોરા ઇતિહાસને માટે, આથીસ્તો, આ લખાણ અગત્યનું બની રહેવાનું છે.      - વિપુલ કલ્યાણી

આમુખ : ગુજરાતથી, ખાસ તો છેલ્લી ત્રણચાર સદીઓદરમિયાન, બેવડાં-ત્રેવડાં સ્થળાંતર કરીને ગુજરાતીઓ, ગણનાપાત્ર સંખ્યામાં, અન્ય દેશવાસીઓસહિત, વિશ્ર્વભરના અનેક દેશોમાં વસવાટ કરી રહ્યા છે. દરેક દેશમાં આપણી જમાવટ સ્થળ, કાળ ને સંજોગોને અનુરૂપ વિભિન્ન રૂપે વિકસી રહી છે. ‘દેશ એવો વેશ’. એવી સામાન્ય જનતામાં પ્રચલિત કહેવત અનુસાર, આપણે પરદેશોમાં જાતજાતનાં વાણી, વર્તન સાથે કેટકેટલી વેશભૂષા ધારણ કરીએ છીએ ! અલબત્ત, આપણી બહુમુખી વારસાગત અને વિશિષ્ટ ગુજરાતની અસ્મિતા યથાશક્તિ ટકાવીને !

૧૫ ઑગસ્ટ ૧૯૪૭ના દિને લગભગ દોઢસો વર્ષોથી પરાધીન રહેલા હિન્દુસ્તાનને ભાગલા થવા છતાં સ્વતંત્રતા પ્રાપ્ત થઈ. આટલા લાંબા ગાળાના મુખ્યત્વે અહિંસક સંઘર્ષ બાદ અંગ્રેજી સામ્રાજ્યનો અંત આવ્યો તો ખરો, પરંતુ હકીકતમાં, તો જાણ્યે અજાણ્યે આડલાભ સ્વરૂપે અંગ્રેજ પ્રજા અને તેના મૂળ વતન બ્રિટન સાથે આપણી કાયમની અવરજવર ઉપરાંત સ્વેચ્છાએ પ્રાપ્ત કરેલી બ્રિટિશ નાગરિકતાની રૂએ કાયમની લેણાદેવી ચાલુ રહી. બ્રિટિશ સામ્રાજ્ય હેઠળ વિસ્તરેલા જગત ભરના દેશોમાં સ્થળાંતરિત થયેલા ભારતીયોને તે દેશોની આઝાદી પ્રાપ્તિ બાદ આ લાભ મળ્યો. પરંતુ વિશેષત: તો પૂર્વ આફ્રિકામાં અન્ય સ્થળે બહુમતી ધરાવતી ગુજરાતી પ્રજા જ વધુ સદ્દભાગી હતી.<!--BREAK-->

Categories:

ડાયસ્પરા વિશે થોડું વધારે

દુષ્યન્ત પંડ્યા

ફેબ્રુઆરી ૧૬મીના “નિરીક્ષક’ના અંકમાં ડાયસ્પોરા વિશે જે લેખ પ્રકાશિત થયો હતો, તેને લંડનથી નીકળતા પ્રખ્યાત ગુજરાતી “ઓપિનિયન”ના છેલ્લા અંકમાં, એ સામયિકના તંત્રી વિપુલ કલ્યાણીએ પહેલે જ પાને સ્થાન આપ્યું છે. એ લેખ લખીને “નિરીક્ષક” માટે એના તંત્રી પ્રકાશભાઇને રવાના કર્યા પછી, એ વિષય વાગોળતાં કેટલીક બાબતો મનમાં તરી આવી છે અને તે પણ, મારે મન, અગત્યની લાગતી હોઇ ”નિરીક્ષક”નાં પૃષ્ઠોનો લાભ તે માટે લઉં છું.

યુ.એસ.એ.ના તાજા જ વરાયેલા રાષ્ટ્રપતિ પણ  એક  અર્થમાં  ‘ડાયસ્પોરા’  છે.   એમના  પિતા આફ્રિકાના પૂર્વ ભાગના કૅન્યાથી ત્યાં ગયા હતા, ત્યાં ઠરી ઠામ થયા. કોઇ શ્વેત અમેરિકી મહિલાને પરણ્યા અને એમને ત્યાં જે પુત્રનું પારણું બંધાયું તે આ બરાક ઓબામા. એમના પિતાને ત્યાંનું ડાયસ્પોરિક જીવન નહીં ગોઠ્યું હોય તેથી કે, બીજા કોઇ કારણે, એ પાછા કેન્યા ભેગા થઇ ગયા. આ બરાકકુમાર એમની માતા સાથે ત્યાં જ રહી ગયા અને ભાગ્યે એમને આજે - પ્રથમ નાગરિક પદે પ્રસ્થાપિત કર્યા.

Categories:

વતનને પત્ર

ભરત શાં. શાહ
2009-04-26

‘યે દોષ હૈ ઓર કિસીકા’

છેલ્લાં ચાલીશેક વર્ષથી “સદાકાળ ગુજરાત”માં રહીને ગુજરાત, તેની પ્રજા, સંસ્કૃતિ, તથા ભાષા બાબત નિરીક્ષણ કરવાની તથા તેના પ્રશ્નોને હલ કરવાના પ્રયત્નોમાં ભાગ લેવાની તક મળી છે, તેના પરિણામે પત્ર લખું છું. એકાંતરે વર્ષે ભારતની મુલાકાત લેવાથી, તથા અમેરિકા વતા મહાનુભાવોના પરિચયથી તેમાં થોડો ઉમેરો થયો છે.

Categories:

માતૃભાષા તમારો પાયો છે અને તે જ કાચો રહેશે તો શું ઇમારત બુલંદ થવાની?

કેયૂર કોટક
2009-01-08

ગુજરાતી સાંભળીએ,
ગુજરાતી બોલીએ,
ગુજરાતી વાંચીએ,
ગુજરાતી લખીએ,
ગુજરાતી જીવીએ.

Categories:

જાગતિક ગુજરાતી ડાયસ્પોરા : બહુમુખી આહ્વાન

વિપુલ કલ્યાણી

ગુજરાતીની, ભલા, વ્યાખ્યા કઈ બાંધશું ? ગુજરાત નામે ભૌગોલિક પ્રદેશમાં વસનારાંઓ સિવાય, ત્યાંથી પ્રદેશ, દેશ, વિદેશ વિસ્તરી ગયેલાંઓને આપણે ગુજરાતી કહી શકીએ કે ? ટૂંકામાં, આ આખો ઓળખનો મુદ્દો છે.

ગુજરાતના એક વિચારક, લેખક અને કર્મશીલ અચ્યુત યાજ્ઞિકે નોંધ્યું છે તેમ, ‘કવિ નર્મદે ‘કોની કોની છે ગુજરાત ?’ એવી પૃચ્છા કરીને પોતે જ ઉત્તર આપ્યો છે જે ગુજરાતી બોલે છે તેનાથી. પંથકે પંથકે અલગ અલગ બોલીઓ છતાં ભાષા જોડે છે, બાંધે છે અને બંધાવે છે ભાથું જીવનભરનું. ભાષાની જેમ પરંપરાનું અને જીવનનાં છંદ તેમ જ લયનું પણ દરેક નવી પેઢી પુન:સર્જન કરે છે અને સમન્વયની સાથે સાતત્યને સાંકળે છે. પરિણામે ઇતિહાસનો પિંડ બંધાય છે અને એકેએક ગુજરાતીનો પોતીકા જીવનનો તથા તેના પરિવાર કે સમુદાયનો ઇતિહાસ પણ જોડાય છે તેની સાથે એટલે આ ઇતિહાસ ભાતીગળ બની રહે છે. આવા ભાતીગળ ઇતિહાસના અંકોડા ઉકેલવા માંડીએ ત્યારે નોખું અને અનોખું ગુજરાત એકાકાર બની રહે છે.’

Categories:

ડાયસ્પરાની બીજી બાજુ

દુષ્યન્ત પંડ્યા


ગઇ સદીના પૂર્વાર્ધમાં પૂર્વ આફ્રિકામાં વસતા બિહારીલાલ અંતાણી અને ઉછરંગરાય ઓઝા બેઉ પોતાની રીતે લેખકો હતા. એનીયે પહેલાંથી મહાત્મા ગાંધીએ, દક્ષિણ આફ્રિકામાં પોતાની કલમ ચાલતી કરી હતી. એ ઘટના ઓગણીસમી સદીની હતી, પણ ત્યારે આ ‘ડાયસ્પરા’ની વિશેષતા ચર્ચાનો કે ગુણગાનનો વિષય ન હતો. પન્ના નાયક પણ ગઇ સદીમાં જ અમેરિકામાં રહીને ગુજરાતીમાં કાવ્યો લખતાં હતાં પણ ત્યારેયે ડાયસ્પરાનાં ગુણગાન ગાવાની આજની ફેશન ચાલુ થઇ ન હતી. પાછલાં ત્રીસ-ચાળીસ વર્ષોમાં ગુજરાતીઓએ પણ કે અમેરિકા અને ઈંગ્લંડ પર ‘આક્રમણ’ કર્યું છે. આ બંને દેશોની ગુજરાતી વસતિમાં કેટલા ટકા ગેરકાયદે ઘૂસેલા છે તે તપાસનો વિષય છે. એ પણ એક પ્રકારનું ‘પરાક્રમ’ જ ગણીએ તો, ડાયસ્પરાની સિદ્ધિઓ વધી જશે.


Categories:

ડાયસ્પોરિક ગુજરાતી સાહિત્ય સર્જન : દશા અને દિશા

વલ્લભ નાંઢા

બ્રિટનની ગુજરાતી સાહિત્ય અકાદમી ત્રણ દાયકાની મજલ પૂરી કરી ચૂકી છે, એ સાંસ્કૃતિક સીમાચિહ્નને ધ્યાનમાં રાખી, અકાદમીએ ‘ગુજરાતી લેકિસકોન’ના સહયોગમાં, તળ ગુજરાતના કેન્દ્રમાં, અમદાવાદ ખાતે, ગુજરાતી સાહિત્ય પરિષદ સંકુલમાં, રામનારાયણ વિશ્વનાથ પાઠક સભાગૃહમાં, રવિવાર ૧૧ જાન્યુઆરી ૨૦૦૯ના દિવસે ‘ડાયસપોરિક ગુજરાતી સાહિત્ય સર્જન : દશા અને દિશા’ નામક એક પૂરા દિવસનો પરિસંવાદ યોજ્યો હતો.

સવારની બેઠકના અધ્યક્ષસ્થાને અનિલાબહેન દલાલ હતાં. જ્યારે બ્રિટનનિવાસી ભદ્રાબહેન વડગામા તથા અમેરિકાનિવાસી મધુસૂદન કાપડિયા આ બેઠકમાં વક્તાઓ હતાં. બેઠકનું સંચાલન વિપુલ કલ્યાણીએ કર્યું હતું. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ નારાયણ દેસાઈએ આશીર્વચન આપતા ગુજરાતી ભાષા અને સાહિત્યની સાંપ્રત અવસ્થાની રૂપરેખા રજૂ કરી હતી. ડાયસ્પોરિક સાહિત્યનાં નબળાં-સબળાં પાસાંઓની ચર્ચા માંડતા એમણે જણાવ્યું હતું કે આપણા સાહિત્યે હવે વિશ્વ સાહિત્યનું નેતૃત્વ લેવાની તૈયારી કરવી જોઈએ. ‘ઝુરાપો’ જેવા શબ્દને સાહિત્યસર્જકોએ ઇતિહાસ ન બનાવવો જોઈએ, પણ વિશ્વની સમસ્ત માનવજાતને આગળ લઈ જવામાં એક વિશ્વમાનવ તરીકે આપણે બીજાને કઈ રીતે યોગદાન આપી શકીએ તેની ચર્ચા ડાયસ્પોરાની બેઠકમાં થવી જોઈએ. આ ઉપક્રમમાં ગર્વથી ગૌરવ તરફ જવાની વૃત્તિ હોવી જોઈએ. Ethnic relationshipનો પ્રશ્ન હલ કરવામાં ઊંચો આદર્શ અને નીચામાં નીચા વહેવાર વચ્ચેનું અંતર કેમ ઓછું થાય તેનો વિચાર કરવો રહ્યો. આ અંગે એમણે એક નવું કલચર ઊભું કરવાની રજૂઆત કરી હતી, જે ભાગલા પાડનાશં ન હોય, પણ માનવસમાજને જોડનારુ હોય.

Categories: